મુખ્યમંત્રી કેજરીવાલની વચગાળની જામીન અરજીનો મામલો: સિબ્બલે કહ્યું- ભાજપના નેતા હાર્દિકને ચૂંટણી લડવા માટે જામીન કઈ રીતે મળ્યા હતા?
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10052024_071218_Arvind Latest.webp)
- 10 May, 2024
સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આવવાનો છે, ત્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું છે કે ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી) દ્વારા કોર્ટમાં કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતું સોગાંદનામું દાખલ કરવામા આવ્યું હતું. આ સોગાંદનામામાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલને વચગાળાના જામીન એટલે ન આપવામાં આવે કારણ કે રાઈટ ટું કેમ્પેન એ કાયદાકીય હક્ક છે, તે કોઈ બંધારણીય હક નથી. આ વાત સાચી પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને સજા થઈ હોય અને કોર્ટે પણ એવું કહ્યું હોય કે તે સજા પર સ્ટે આપે છે અને તે વ્યક્તિ ચૂંટણી પ્રચારમાં ભાગ લે છે, તો તેમને જ પૂછો કે કઈ રીતે હાર્દિક પટેલ ચૂંટણી લડી હતી.
સિબ્બલે આ અંગે સવાલ કરતા કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કેવા પ્રકારનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. હાર્દિક પટેલ જે એક ગુનેગાર હતો તેને પણ માન્યતા મળી હતી તો કેજરીવાલ તો આરોપી છે તેમને ચૂંટણી પ્રચાર માટે માન્યતા મળવી જોઈએ. આ અંગે હાર્દિક પટેલના ઉદાહરણને ટાંકીને સિબ્બલે કહ્યું હતું કે હાર્દિક પટેલને કોર્ટે ગુનેગાર ઠેરવ્યો હતો અને પછી કોર્ટે તેની પર સ્ટે આપ્યો હતો.
હાર્દિક પટેલે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે આ અંગે સ્ટે આપ્યો હતો. પછીથી હાર્દિકે ચૂટણી પણ લડી હતી અને ભાજપમાં પણ જોડાયો હતો. કોઈ વ્યક્તિ કે જેની સામે પુરાવા હોય અને સજા થયેલી હોય તેની પર કોર્ટ જો સ્ટે આપે તો તે ચૂંટણી પ્રચાર કરી શકે પરંતુ કોઈ વ્યક્તિ કે જે માત્ર આરોપી છે, તેને સ્ટે ન મળે. આ બાબત પરથી ખ્યાલ આવે કે ઈડી કેવા પ્રકારનું રાજકારણ કરી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ